Saturday, August 11, 2012

શક્ય છે કે અહીં તમે પણ હો!


ઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છેઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છે. 

Kuldeep Laheru
History TV18

Sunday, July 22, 2012

What's this Sir, Bad-la?


આપણાં વડાપ્રધાન મનમોહનસિંહ પર અમેરિકન સામયિક ’ટાઈમ’એ આમુખ કથા (કવરસ્ટોરી) કરી, જેમાં એમને ’અન્ડરએચિવર’ ગણાવવામાં આવ્યા. લગભગ બે જ અઠવાડિયાં બાદ ભારતના પ્રસિદ્ધ સાપ્તાહિક સામયિક ’આઊટલૂક’એ ઓબામાને ’અન્ડરએચિવર’નો ’ખિતાબ’ આપતી કવરસ્ટોરી કરી. અહીં સામ્યતા એટલે સુધીની છે કે બન્ને સામયિકોમાં ’ધ અન્ડરએચિવર’ ટાઈટલનાં ફોન્ટ પણ એકસરખાં જ અને લાલ રંગનાં છે! અંદર છપાયેલ લેખ તો યથાર્થ સામગ્રી સાથેનો હતો પણ હવે આને બદલાની ભાવના કહેવી કે શું એ કોણ જાણે? રામ જાણે? ના, કદાચ મોહન! યા ફિર ઇસકે પીછે ભી કોઈ ઔરત કા હાથ હૈ? કહે છે ને કે, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે... મનમોહનસિંહની સફળતા (!!!) પાછળ સોનિયાજી છે એ કોણ નથી જાણતું? 
એ જે હોય તે, અંગતપણે ગુજરાતી કહેવત ’જેવા સાથે તેવા’ ( હિન્દીમાં ’જૈસે કો તૈસા’ અને અંગ્રેજીમાં ’ટીટ ફોર ટેટ’) માં હું જરા પણ નથી માનતો. કૂતરું મને કરડે તો હું એનો બદલો લેવા એને સામે કરડવા ન જ જાઊં, એમાં મને જ નુક્શાન થવાનું. અને એ જ બાબત દરેક જગ્યા પર લાગુ કરવામાં મજા છે. બીજાને સબક શીખવવા આપણી જાતને કેટલી નીચે ઊતારીશું? માફ કરો અને મોજ કરો... જીવો અને જીવવા દો...
For Non Gujarati bloggers...
American magazine 'Times' published a coverstory based on our Prime Minister, Manmohan Singh stating him 'The Underachiever'. Almost after two weeks Indian magazine 'Outlook' published its coverstory using the same words 'The Underachiever' but the cover photo was replaced by American President Obama instead of Manmohan Singh! Even the fonts ane the font colour of the title are same to same. Inside stories are okay but should we call it revenge? Raam Jaane! No, probably Mohan Jaane!
There is a proverb in English, 'Tit for Tat'. personally I don't believe in 'Tit for Tat' rule because I can't bite a dog who has bitten me. Don't spoil your level just to teach others a moral. Stay precious stay special. Forgive and have fun. Live and let live.

Friday, July 13, 2012

'છે' છતાં 'નથી'! કટુ સત્ય, આજનું...

હા, હું સકારાત્મક વિચારો કરવાની તરફેણમાં છું. હું માનું છું કે જેવું વિચારીએ એવું થાય. સારા વિચારોનું ફળ સારું અને નબળાં વિચારોનું ફળ નબળું જ મળવાનું. પરંતુ કેટલીક વાસ્તવિકતાને અવગણવી અશક્ય જ નહીં અસંભવ પણ છે. લોકો ભલે ગમે તેટલી સિદ્ધીઓ, સુખ-સાહ્યબી, આરામ અને મોજ-મસ્તીની વાતો કરતાં હોય પરંતુ એ બધાની સાથે-સાથે જો કોઈને કંઈક ’મિસ’ થઈ રહ્યાંની લાગણી ન થતી હોય તો એ વાત સાથે હું અસહમત છું. અઢળક દ્વિધાઓ, ચિંતાઓ, સમસ્યાઓથી ઘેરાયેલો અને એના ઊકેલની શોધમાં ફાંફાં મારતા માણસ પાસે ’કણસવા’ માટેની યોગ્ય જગ્યા પણ ક્યાં છે? કહે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. વાત સો ટચનાં સોના જેવી છે અને એ જ વાતે મને થોડા નકારાત્મક પાસાઓનો સાક્ષાત્કાર કરાવ્યો અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આજે મહદ અંશે એ જ માનવીની ઓળખ બની ગઈ છે.
મેળવ્યું તો ઘણું છે પણ એની સામે ગુમાવ્યું છે એનાથી અનેકગણું વધારે. લોકોનાં ઘર તો વધુ મોટા અને સુખ સગવડભર્યા થયાં છે પણ કુટુંબ નાનું થઈ ગયું છે. મા-બાપ ક્યાં તો અલગ રહેતાં હોય અને ક્યાં તો વૃદ્ધાશ્રમની ’શોભા’ વધારતાં થઈ ગયાં છે. મા-બાપ પાસે કિટી પાર્ટીઓ કે ઓફિશિયલ મીટિંગ્સમાં હાજર રહેવા માટે પૂરતો સમય છે પણ પોતાનાં સંતાનો સામે લાગણીથી જોવાનો સમય નથી. મકાનો વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે પણ ઘરો એટલી જ સરળતાથી ભાંગી રહ્યાં છે. ચહેરા પરનો મેકઓવર વોટરપ્રૂફ થઈ ગયો છે પણ ભવોભવ ન તૂટે એવા સંબંધોનો મેકઓવર સાંપની કાંચળીની માફક કોઈપણ સમયે ઊતરી જાય એવો થઈ ગયો છે. ભણતરનું સ્તર વધવાની સાથે સુધર્યું પણ છે પરંતુ ગણતરનીં દ્રષ્ટિએ શૂન્યતા ભણીની દોટમાં વધુને વધુ લોકો સામેલ થઈ રહ્યાં છે. લોકો કોઈ પણ બાબતની લાંબે ગાળે શું અસર થશે એ વિચાર્યા વિના માત્ર ક્ષણિક અને ટૂંકા ફાયદાઓ સુધી જ નજર માંડી રહ્યાં છે. અમૂલ્ય લાગણીઓની કિંમત અંકાઈ રહી છે. ચોરેને ચૌટે પ્રેમની વાતો તો વધી ગઈ છે પણ પ્રેમ ઘટી ગયો છે. પોતાના પ્રિયપાત્રનાં હાથમાં જ પહોંચશે કે નહીં એ શંકા સાથે મોકલાતા પ્રેમપત્રોને સ્થાને મોબાઈલમાં એસએમએસ અને ઈન્ટરનેટ પર ઈમેઈલે પ્રેમનો વિસ્તાર વૈશ્વિક અને અતિશય વેગીલો કરી દીધો છે પણ માનવીનું ટચૂકડું હ્રદય તો પ્રેમની વ્યાખ્યા જ ભૂલી ગયું છે. માનવીનાં મનની સાચી લાગણીઓ સમજવાને બદલે ખોટા શબ્દો પરની આસ્થા વધી રહી છે. ખરી લાગણી ખોટી પૂરવાર થાય છે અને દોડી-ભાગીને કોઈ સેવા કે મદદ કરે તો ક્યાં તો એમ કરવા પાછળ એનો કોઈ સ્વાર્થ હશે એવી ધારણા બંધાય છે કે પછી એની ગણતરી મૂર્ખ વ્યક્તિમાં થાય છે. વૈધકિય સારવાર, દવાઓ વિગેરે ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે પણ લોકોનું આરોગ્ય એટલું જ કથળી રહ્યું છે તથા શરીર અને મન નબળાં થઈ રહ્યાં છે. માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે, ત્યાં વસવાનાં સપનાઓ પણ જોઈ રહ્યો છે પરંતુ પોતાના પાડોશીને ઓળખવાનો પ્રયત્ન તો શું વિચાર પણ વિસરાઈ ગયો છે. આવકમાં વધારો થયો છે પરંતુ માનસિક શાંતિ હણાઈ ગઈ છે. બુદ્ધિપ્રતિભા વધી છે પણ લાગણીઓ ઘટી રહી છે. બીજાનું જોઈને આપણાં ઘરમાં એલસીડી, એ.સી. અને ફોર વ્હિલર તો આવ્યા છે પણ લોકોની દેખાદેખીમાં આપણો સ્વભાવ પૂર્ણતાને બદલે અભાવ તરફ ફંટાઈ રહ્યો છે. આપણે આપણી પોતાની પ્રકૃતિ, જે ખરેખર પ્રેમ અને આનંદની સર્જક છે, એને ભૂલી જઈને મિથ્યાભિમાન, ક્રોધ અને લાલચ જેવા માનવશત્રુ સાથે હાથ મિલાવી રહ્યાં છીએ. જ્ઞાનમાં વધારો થયો છે પણ એ જ્ઞાનનો ક્યાં, ક્યારે ઊપયોગ કરવો એ વિવેક વિલય પામ્યો છે. દૂર્યોધનની માફક પોતે ખોટા હોવાની સમજ હોવા છતાં હાર સ્વિકારવાની તૈયારીનો અભાવ અથવા તો અસત્યનું વળગણ છોડવા માટેની અસમર્થતા વૃદ્ધિ પામી રહી છે. હ્રદય-મન અકળાવી મૂકનારાં વિચારોમાં છેલ્લે... માનવોની સંખ્યામાં તો વધારો થયો છે પણ માનવીની માનવતા ઝાંઝવાનાં જળ સમાન થઈ ગઈ છે. ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કે તેઓ આ ખાલીપાને ભરે, જે સર્વત્ર વ્યાપ્ત છે...

Saturday, February 5, 2011

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું વધુ એક અપમાન


પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવા માટે પહેરાવાતું જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના
પગમાં બેડીની માફક નંખાયું. પોતાના ઇમિગ્રેશન કૌભાંડને ઢાંકવા માટે અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન અસહ્ય છે

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની કચેરીનો હેલ્પલાઇન નંબર ૩૦મી જાન્યઆરીના દિવસે સતત રણકતો રહ્યો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો. આટઆટલા ફોન આવવા પાછળ ચૂંટણી કે અન્ય કોઈ કારણ ન હતું. કેટલાંક બાળકોના વાલીઓ ચિંતામાં હતા. વળી, એ બાળકો ભારતમાં નહીં પણ
વિદેશની ભૂમિ ઉપર તકલીફમાં મુકાયાં હતાં. અમેરિકાની ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલાં સંતાનોના સમાચાર ટીવી ઉપર જોઈને વાલીઓ બેબાકળા થઈ ગયા.

ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર નજર રાખવા દરેકના પગે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ (ઉપકરણ) લગાવવામાં આવ્યું. આ ડિવાઇસ દ્વારા વ્યક્તિ કયા સ્થળે છે તેેની સેટેલાઇટ દ્વારા જાણવામાં મદદ મળી રહે. રેડિયોકોલરની વ્યાખ્યા પ્રમાણે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ એવું ઉપકરણ છે જે પ્રાણીઓના ગળે પટ્ટામાં બાંધવામાં આવે છે. જેનાથી જંગલમાં મુક્તપણે વિહરતાં પ્રાણીઓની રજેરજની માહિતી મળતી રહે. જરા વિચાર કરો ક્યાં પ્રાણીઓ અને ક્યાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ? આ વાત બહાર આવી કે આખી દુનિયામાં હોબાળો મચી ગયો. હદ તો ત્યારે થઈ કે એક અમેરિકન અધિકારીએ એવું કહ્યું કે, આ વાતને આટલી ગંભીરતાથી
શા માટે લો છો? પગમાં એક પટ્ટો જ પહેરાવ્યો છે ને? પગમાં બેલ્ટ પહેરવાની તો આજકાલ ફેશન છે!

ડિવાઇસ લગાવવા પાછળનું કારણ પણ જાણીએ. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ એટર્નીની કચેરીએ કરેલી ફરિયાદને આધારે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એ ટ્રાઈવેલી યુનિવર્સિટી પર દરોડો પાડ્યો અને તેને બોગસ જાહેર કરી. આ બનાવ બનવાથી અનેક ભારતીય વિદ્યાર્થીઓના નસીબ અને તેમની કારકિર્દી પર સીધી અસર પડે તેવા સંજોગો ઊભા થયા.
અમેરિકાના પ્લેઝન્ટન નામના શહેરમાં આવેલી ટ્રાઈ વેલી યુનિવર્સિટી ફિલોસોફી, એન્જિ
નિયરિંગથી માંડીને રાજકારણને લગતા ઘણા બધા અભ્યાસક્રમો ભણાવે છે. આધારભૂત સૂત્રો પ્રમાણે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૯૫ ટકા વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે. જે
માં મોટા ભાગના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના છે. એક વેબસાઇટમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીને ફેબ્રુઆરી, ૨૦૦૯માં ૩૦ વિદ્યાર્થીઓના વિઝાની મંજૂરી આપવામાં આવી હતી. મે, ૨૦૦૯માં અહીં એવા ૧૧ વિદ્યાર્થીઓ હતા
કે જેમને એફ૧ વિઝા મળ્યો હતો. ૨૦૧૦ના મે મહિના સુધીમાં આ આંકડો ૯૩૯ સુધી પહોંચી ગયો! એક માહિતી પ્રમાણે આ યુનિવર્સિટીએ ૧,૫૫૫ વિદ્યાર્થીઓને ખોટી રીતે વિઝા મેળવવામાં સહાય કરી હતી. ટ્રાઈવેલી યુનિવર્સિટીએ વિઝાને લગતા દસ્તાવેજો ઇશ્યૂ કરવા માટે ટ્યૂશનફીમાં લાખો ડોલરની કમાણી કરી છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે સ્ટુડન્ટ ઇમિગ્રેશન સ્ટેટસ આપ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી કાયદા હેઠળ આ વિદ્યાર્થીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા. તેમને ૨.૨૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીનાં બોન્ડ ભરવા માટે કહેવામાં આવ્યું. યુનિવર્સિટીને તળે રેલો આવ્યો એટલે એમણે વિદ્યાર્થીઓની દરેક હિલચાલ પર સતત ધ્યાન રાખી શકાય તે માટે તેમના પગ પર રેડિયોકોલર ઉપકરણ લગાવી દીધાં.

તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના જયરામ કોમાટી કહે છે, ‘ગેરકાયદે એડ્મિશન થયાં એમાં વિદ્યાર્થીઓનો શો વાંક? હકીકતમાં વાંક તો એ યુનિવર્સિટીનો છે. કાયદાનો ભંગ તો એમણે કર્યોે છે.

વિદ્યાર્થીઓના પગે પટ્ટો બાંધવો એ તો અમાનવીય કૃત્ય છે. તો કાર્તિકેયન નામના ૨૮ વર્ષના એક યુવાને પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે હું તો મારા કૂતરાને ગળે પણ પટ્ટો નથી બાંધતો. જ્યારે મારી બહેનના પગે એ ઉપકરણ બાંધવામાં આવ્યું ત્યારે મને હીનતાની અનુભૂતિ થાય છે. ત્યાં ભણતી મારી બહેન પાસે એ પહેરવા સિવાય કોઈ રસ્તો પણ નથી.

અમેરિકી એરપોર્ટ પર આપણા દેશના નેતાઓની સઘન તપાસ થાય કે પછી ભારતીય સેલિબ્રિટીની લાંબી ઓળખપરેડ કરીને હેરાન કરવામાં આવે, આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. એ જ દેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે આ વર્તનનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ કહેશે.

જોકે અનેક અપમાનો થવા છતાં વિદેશ અને તેમાં પણ અમેરિકા જવા માટે ભારતીય લોકોના મોહમાં કદીય ઘટાડો થતો નથી. અમેરિકા જવા માટેનો વિઝા મળી જાય ત્યારે જાણે સ્વર્ગનાં તમામ સુખો મળી ગયાં હોય તેવી અનુભૂતિ ધરાવતા અનેક લોકો અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે આ ચેષ્ટા આવનારા સમય સામે લાલબત્તી સમાન છે.

Friday, February 4, 2011

શ્રદ્ધાંજલિ : ‘ભારતરત્ન’ પંડિત ભીમસેન જોશીનો સૂર થંભી ગયો


પંડિત ભીમસેન જોશીનું નામ પડતાં જ આપણું મસ્તક આદરભેર ઝૂકી જાય. પંડિતજીનો નાભિમાંથી નીકળતો બુલંદ અને ઘૂંટાયેલો અવાજ જાણે સ્વર્ગના ગાંધર્વોની પ્રતીતિ કરાવતો હોય એવું હંમેશાં લાગે. શાસ્ત્રીય સંગીતને વરેલી આ વિરલ હસ્તીની થોડી યાદો વાગોળીએ...

ભારતીય શાસ્ત્રીય સંગીત અને પંડિત ભીમસેન જોશી જાણે એકબીજાના પર્યાય હોય એમ લાગે. એમની ગાયકીને માણતા લોકોને તો જાણે સૂરોનો શહેનશાહ મળી ગયો હોય એમ લાગે પણ પંડિતજી પોતે એટલા તલ્લીન થઈ ગયા હોય કે જાણે ગાતી વખતે એમને ઈશ્વરનો સાક્ષાત્કાર ન થયો હોય? શાસ્ત્રીય સંગીત જ જાણે એમનું ઝનૂન અને જીવન હતું. આ અનોખી પ્રતિભાની કેટલીક રસપ્રદ વાતો વાંચવી સૌને ગમશે.

ચાહકો અને પરિવારજનો એમને અન્ના (મોટા ભાઈ) અથવા ભીમ અન્ના તરીકે ઓળખે. ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૧ની સવારે એમણે પૂનાની હોસ્પિટલમાં શ્વાસ છોડ્યા ત્યારે શાસ્ત્રીય ગાયકીનો જાણે યુગ આથમી ગયો હોય એવું સૌને લાગ્યું.

કર્ણાટક રાજ્યના ગદગ નામના શહેરમાં ૪ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ તેમનો જન્મ થયો. શિક્ષક પિતા ગુરુરાજ જોશીનાં સોળ સંતાનોમાં સૌથી મોટા દીકરા એટલે ભીમસેન. માનું અવસાન બહુ નાની ઉંમરે થયું એટલે એમનો ઉછેર સાવકી માએ કર્યો.

પિતાની ઇચ્છા એવી હતી કે ભીમસેનજી ડોક્ટર કે એન્જિનિયર બને, પરંતુ જ્યારે તેમણે ઉસ્તાદ અબ્દુલ કરીમખાને રાગ જિંજોતીમાં ગાયેલી રેકર્ડેડ ઠૂમરી પિયા બિન નહીં આવત ચૈન સાંભળી એ ઘડીથી બાળ ભીમસેનને સંગીતકાર બનવાની પ્રેરણા મળી. સંગીત શીખવા માટે યોગ્ય ગુરુની શોધમાં ફક્ત ૧૧ વરસની કુમળી વયે એમણે ઘર છોડી દીધું. ઘરેથી કંઈ રૂપિયા લઈને તો નહોતા નીકળ્યા, ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયેલા. સાથી મુસાફરોએ એમને મદદ કરી ત્યારે તેઓ પૂના પહોંચ્યા. જોકે, ત્યાં એમની સફર પૂરી નહોતી થઈ. એમને તો શાસ્ત્રીય ગાયનની તાલીમ કોઈ પણ ભોગે લેવી જ હતી. આથી પંડિતજી ગ્વાલિયરના મહારાજાઓ દ્વારા ચાલતી માધવ મ્યુઝિક સ્કૂલમાં એ દાખલ થયા. સતત ત્રણ વરસ સુધી ગુરુની શોધમાં ભીમસેનજી સતત ત્રણ વરસ સુધી દિલ્હી, કોલકાતા, ગ્વાલિયર, લખનૌઉ અને રામપુર સહિત ઉત્તર ભારતમાં ફરતા રહ્યા.

૧૯૩૬માં તેમની ખોજનો અંત આવ્યો સવાઈ ગાંધર્વ તરીકે પ્રખ્યાત પંડિત રામભાઉ કુંડગોલકરના મેળાપથી. રામભાઉ પાસે તેમના જ ઘરે રહીને ભીમસેનજીએ સંગીતનું શિક્ષણ લીધું. શાસ્ત્રીય ગાયકીમાં જેમનું નામ આદરભેર લેવાય છે એવાં ગંગુબાઈ હંગલ એ સમયે એમનાં સહાધ્યાયી હતાં.

ફક્ત ઓગણીસ વરસની ઉંમરે ભીમસેન જોશીએ મુંબઈમાં એમની કારકિર્દીનો સૌથી પહેલો લાઇવ કાર્યક્રમ આપ્યો. મુંબઈના ઓલ ઇન્ડિયા રેડિયોસ્ટેશનમાં એક રેડિયોકલાકાર તરીકે તેમણે ફરજ બજાવી. પંડિતજી ફક્ત બાવીસ વરસના હતા ત્યારે એચએમવીએ કન્નડ અને હિન્દી એમ બે ભાષામાં ભક્તિગીતોનું આલબમ પ્રસિદ્ધ કર્યું.

શાસ્ત્રીય ગાયન શીખવાની ખેવના કેમેય પૂરી નહોતી થતી. બંગાળી કલાકાર પહાડી સંન્યાલને સાંભળવા માટે ભીમસેન જોશીએ એમના ઘરે નોકર તરીકે પણ કામ કર્યું છે. શાસ્ત્રીય ગાયનમાં તેમની માસ્ટરીને લોકોની ચાહના મળવા લાગી. વર્ષો વીતવાની સાથે કેટલાક રાગોમાં તેઓ તજ્જ્ઞ બની ગયા. પંડિત ભીમસેન જોશીના મુખેથી શુદ્ધ કલ્યાણ, મિયાં કી તોડી, પુરિયા ધનશ્રી, મુલતાની, ભીમપલાસ, દરબારી અને રામકલી રાગ સાંભળવા એક લહાવો છે. ગાયકીની બાબતમાં પંડિત ભીમસેન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન ઉપરાંત બીજા ઘણા સંગીતકારો જેમ કે કેસરબાઈ કેરકર, બેગમ અખ્તર અને ઉસ્તાદ આમિર ખાનથી પ્રભાવિત હતા. જોકે કિરાના ઘરાના તેમની ઓળખ છે.

કન્નડ, હિન્દી અને મરાઠી ભાષામાં તેમનાં ભજનો આજે પણ લોકોને સાંભળવાં ગમે છે. તેમની ધાર્મિક રચનાઓમાં દાસવાણી અને એન્ના પાલિસો (કન્નડ ભજનો) તથા સંતવાણી (મરાઠી અભંગ) આલબમ સુપર હિટ થયાં હતાં.

ભીમસેન જોશીનાં લગ્ન બહુ નાની ઉંમરે તેમની પિતરાઈ સુનંદા કટ્ટી સાથે કરી દેવાયાં હતાં. તેમના ઘરે બે દીકરા અને બે દીકરીઓ જન્મી. પંડિત ભીમસેન જોશીએ વત્સલા મુધોલકર સાથે બીજાં લગ્ન કર્યાં. બીજાં લગ્નથી તેમને બે પુત્રો જયંત અને શ્રીનિવાસ અને એક પુત્રી શુભદા અવતર્યાં.

પંડિત ભીમસેન જોશી એક નિર્દોષ, નિરભિમાની અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ખૂબ જ શાંત અને સરળ જીવન જીવવામાં માનનારા પંડિત ભીમસેન જોશી વિશે બહુ ઓછી જાણીતી પણ માણવાની મજા આવે એવી વાત એ છે કે, શાસ્ત્રીય ગાયકીના સરતાજને કારની પૂરઝડપ ખૂબ જ પસંદ હતી. સંગીતના કાર્યક્રમો આપવા માટે વારંવાર હવાઈ માર્ગે મુસાફરી કરતા હોવાને કારણે એર ઇન્ડિયાના પાઇલટ્સ તેમને ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખતા!

૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલા ‘મિલે સૂર મેરા તુમ્હારા’ મ્યુઝિક વીડિયો માટે તેમની ખૂબ જ સરાહના થઈ હતી. કેટલીક ફિલ્મો જેમ કે, મન્ના દે સાથેની બસંત બહાર (૧૯૫૬), પંડિત જસરાજ સાથેની બીરબલ માય બ્રધર (૧૯૭૩) તથા તદુપરાંત તાનસેન (૧૯૫૮) અને અનકહી (૧૯૮૫)નાં ગીતો માટે તેમણે પોતાનો સ્વર પ્રદાન કર્યો હતો.

૧૯૫૩માં પોતાના ગુરુની પ્રથમ પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ગુરુ પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ અને આદર બતાવવા તેમણે સવાઈ ગાંધર્વ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલું. ૧૯૫૩થી માંડીને ૨૦૦૨ની સાલ તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ ફેસ્ટિવલનું સંચાલન કર્યું. પૂનામાં યોજાતો આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ ન રહેતાં ભારતીય શાસ્ત્રીય સંગીત માટે માઇલસ્ટોન સમાન બની રહ્યો. શાસ્ત્રીય સંગીતક્ષેત્રે અપાતા લગભગ તમામ એવોર્ડ તેમણે મેળવ્યા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણથી માંડીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ થી તેમને સન્માનિત કરાયા છે. આવી વિરલ વિભૂતિ પાસે સંગીતની તાલીમ લેનારામાં પંડિત માધવ ગુડી, શ્રીકાંત દેશપાંડે, પંડિત વિનાયક તોરવી, ઉપેન્દ્ર ભાટ, શ્રીનિવાસ જોશી (પંડિત ભીમસેનના પુત્ર), પંડિત રાજેન્દ્ર કંડાલગાંવકર તથા આનંદ ભાટેની ગણતરી સફળ સંગીતજ્ઞો તરીકે થાય છે.

શાસ્ત્રીય સંગીતની જેમનાથી શોભા વધે એવા સંગીતના સરતાજના સૂરો સદાય અમર રહેશે.

Story Published in Abhiyan